તા.૦૩-૦૯-૨૦૧૯ ના રોજ જીવનભારતી કુમારભવન અને LIC નાં સંયુક્ત ઉપક્રમે એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળાનાં આચાર્યા શ્રીમતી પિંકીબેન માળી અને શ્રીમતી ફેહમીદાબેન મુલ્લાં એ કર્યું હતું. જીવનભારતી મંડળના સભ્યશ્રી હરેશભાઈ જરીવાળા સાહેબ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. LIC નાં શ્રીમતી મંજુબેન પ્રસાદ અને શ્રી યોગેશભાઈ ચાહવાલા હાજર રહ્યા હતાં. LIC ની સમગ્ર ટીમ આ કાર્યક્રમમાં હાજર રહી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી. શ્રીમતી પિંકીબેન માળી, શ્રીમતી મંજુબેન પ્રસાદ અને શ્રી હરેશભાઈ જરીવાળાનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. રીમતી પિંકીબેન માળીએ સ્પર્ધાનાં નિયમો અને પરિણામની જાણકારી વિદ્યાર્થીઓને આપી હતી. નિબંધ સ્પર્ધાનો વિષય હતો... "પાણી બચાવો - જીવન બચાવો" ("SAVE EATER - SAVE LIFE") સ્પર્ધામાં વિવિધ શાળાઓનાં વિદ્યાર્થીઓ એ પણ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કુલ