શહીદોને શ્રધ્ધાંજલિ અને વીરોને વંદન આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત શ્રી આર .ડી ધાએલ જીવનભારતી મા. વિદ્યાલય, નાનપુરા, સુરત ખાતે વાલી-મંડળના સભ્યો વિશેષ ઉપસ્થિતિમાં “મારી માટી, મારો દેશ” કાર્યક્રમમાં વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાના આચાર્યાશ્રી પિંકીબેન માળી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યકમમાં વિવિધ સ્પર્ધા જેવી કે ચિત્ર સ્પર્ધા, કાવ્યપઠન સ્પર્ધા, દેશભક્તિ ગીતસ્પર્ધા, રંગોળીસ્પર્ધા અને વૃક્ષારોપણ કાર્યકમ યોજાયો હતો. કાર્યક્રમના કન્વીનર શ્રી કિશોરભાઈ, દિપકભાઈ, તુલસીભાઈ, રક્ષાબેન, વૈશાલીબેન, રંજનાબેન અને ઇકોક્લબના તમામ સભ્યો સાથે રહીને કાર્યકમને સફળ બનાવ્યો હતો.