સ્પેશ્યલ એજ્યુકેશન ભવનના બાળકોને વિવિધ સ્થળો અંગે પ્રત્યક્ષ માર્ગદર્શન
jbm2023-09-21T03:46:25+09:00તા.13-9-2023 બુધવાર અને તા.14-9-2023 ગુરુવારના રોજ જીવન ભારતી મંડળ સંચાલિત સ્પેશ્યલ એજ્યુકેશન ભવનના વિદ્યાર્થીઓને તેમની આંતરિક શક્તિને ઊજાગર કરવા તથા ભવિષ્યમાં તેઓ સમાજમા સ્વાવલંબી બને તે હેતુ સાથે નાનપુરામાં આવેલ જાહેર સ્થળ(ડચ ગાર્ડન), ધાર્મિક સ્થળો(તપ્તેશ્વર મહાદેવ મંદિર,રામેશ્વર મહાદેવ મંદિર) અને સામાજિક સંસ્થા( પોસ્ટ ઓફિસ) ની મુલાકાત માટે ગૃપ-A/ગૃપ-B એમ બે વિભાગમા બે દિવસ લઈ જવામાં આવ્યા હતા. --શિક્ષકો દ્વારા બાળકોને વિવિધ સ્થળો અંગેનુ પ્રત્યક્ષ માર્ગદર્શન આપી બાળકોના ઉત્સાહને વધાર્યો હતો. ડચ ગાર્ડન પ્રવૃતિ:- - સામૂહિક પ્રાર્થના -વિવિધ છોડ(ફુલો) અને વૃક્ષોની ઓળખ, -પ્રકૃતિના ખોળે બેસીને ડ્રોઈંગ, - વિવિધ રમતો, - સામુહિક નાસ્તો, હેતુઓ:- -ધ્યાન (એકાગ્રતા)માનસિક શક્તિનો વિકાસ થાય, - ફાઈન મોટર(નાના સ્નાયુઓ) અને ગ્રોસ મોટર(મોટા સ્નાયુ) નો વિકાસ થાય. પોસ્ટ ઓફિસ પ્રવૃતિ:- - સામાજિક સંસ્થા તરીકે ની પ્રત્યક્ષ ઓળખ, - શિક્ષકો તથા પોસ્ટ ઓફિસના કર્મચારી