પ્રવૃત્તિ વિદ્યાલય પ્રાથમિક વિભાગમાં તા. 6.9.2023ના રોજ જન્માષ્ટમી ઉજવણી આચાર્યા શ્રી નિમીષા બહેન નાયક તથા નિરીક્ષક શ્રી મૃગાબહેન વજીર ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર મટકીફોડ કાર્યક્રમ નિહાળ્યો . વિદ્યાર્થીઓ દ્વારા રાસ રજુ કરવામાં આવ્યો હતો . શાળાનું સંપૂર્ણ વાતાવરણ કૃષ્ણમય બની ગયું.