તા ૧૪ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવન માં સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકોને દેશને કાજે પ્રાણ ન્યોછાવર કરનાર દેશભક્ત વીરો ની ગાથા સમજાવવામાં આવી. આ સાથે જ તિરંગા ના ત્રણ રંગો શું સૂચવે છે? તેની સમજ આપવામાં આવી. વિવિધ રાષ્ટ્રીય પ્રતીકોનો પરિચય આપવામાં આવ્યો હતો .જયાં મનમાં સ્વતંત્રતાનો સાદ, શબ્દોમાં વિશ્વાસ નો રણકાર, હૃદયમાં ભારતના ગૌરવના ગાન છે.