જીવનભારતી મંડળ આયોજિત ૭૭મા સ્વાતંત્ર્ય પર્વ નિમિતે દિનાંક ૧૫.૦૮.૨૦૨૩ના રોજ પ્રવૃત્તિ વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના પટાંગણમાં સુરતના ખ્યાતનામ ડૉ. નિર્મલ ચોરારિયાના વરદ્ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો. આં દ્વારા પ્રતિજ્ઞા પરેડ, રાષ્ટ્રગીત, ઝંડાગીત અને નારાઓના બુલંદ અવાજ સાથે રાષ્ટ્રધ્વજને સન્માન આપવામાં આવ્યું. મંડળના મંત્રીશ્રી ડૉ. કેતનભાઈ શેલત સાહેબે મહેમાનશ્રીનો પરિચય આપ્યો. તેમજ ડૉ. નિર્મલ ચોરારિયા સાહેબે પ્રાસંગિક ઉદબોધન કર્યું. “૧૫ અગસ્ત હૈ હમેં પ્યારા”  ગીતથી જીવનભારતીનું પટાંગણ ગુંજી ઉઠયું. સાથે રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તેમજ ધોરણ ૧૦ અને ૧૨માં “A”  ગ્રેડ પ્રાપ્ત કરેલ તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરી સન્માન આપવામાં આવ્યું. પ્રવૃત્તિ વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ અભિનય ગીત રજુ કરી કાર્યક્રમને વધુ દીપાવ્યો. સમગ્ર કાર્યક્રમમાં સહભાગી તમામનો આભાર માનતા અલ્પાહારની વ્યવસ્થાને ન્યાય આપવામાં આવ્યો. અમુલ કંપની દ્વારા વિદ્યાર્થીઓને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું.