જીવનભારતી મંડળ સંચાલિત તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનમાં ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. વિધ્નહર્તા ગણેશજીને ઢોલક અને ખંજરીના તાલે હર્ષોલ્લાસ સાથે નાચતાં કૂદતાં સ્થાપના કરવામાં આવી હતી. આ સાથે ગણેશજી શા માટે પહેલા પૂજાય છે? તેની સમજ આપી હતી. ગણેશજીના નારા સાથે બાળકો ગણેશમય બન્યા હતા.