ગુરુપૂર્ણિમા નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ

2024-07-22T18:27:23+09:00

જીવનભારતી મંડળ સંચાલિત દયાકોરબા સંગીત વિદ્યાલય સુરત દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીવનભારતી મંડળના મંત્રી શ્રી મયંકભાઇ ત્રિવેદી અને પ્રમુખશ્રી ભરતભાઈ શાહે હાજરી આપી હતી. નિયામકશ્રી મીનલબેન મહેતાના માર્ગદર્શન માં દયાકોરબા સંગીત વિદ્યાલયના દરેક કલાગુરુના વિદ્યાર્થીઓએ પોતાની એક એક કલાકૃતિ રજૂ કરી હતી.