આઝાદીનો અમૃત મહોત્સવ

2022-08-17T15:04:26+09:00

આ ઉત્સવ આઝાદીના ઇતિહાસનો  સંકલ્પો થયા સાકાર એ સુવાસનો વિશ્વગુરુ થઇ આત્મનિર્ભરતાનાં સ્વાભિમાનનો આઝાદીના અમૃત મહોત્સવના મહાપર્વના ઉત્સાહનો જીવનભારતી મંડળના ઉપક્રમે સ્વાતંત્ર્યદિનની ઉજવણીના કાર્યક્રમમાં આજરોજ શ્રી મુકેશભાઈ દલાલ (ચેરમેન – ધી સુરત પીપલ્સ કો. ઓ. બેંક લી.)ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે જીવનભારતી મંડળના મંત્રીશ્રી ડૉ. કેતનભાઈ શેલતના મુખ્ય મહેમાનશ્રીના શાબ્દિક આવકાર પરિચય બાદ શ્રી મુકેશભાઈ દલાલે ઉપસ્થિત સૌને તથા વિદ્યાર્થીઓને આપણો દેશ કેવી રીતે વિકાસશીલ બન્યો તે સમજાવ્યું. વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું કે "જો તમે ભણશો તો તમને ભવિષ્યમાં ભણતર ઘણું કામ લાગશે અને દીકરીઓએ તો ભણવું જ જોઈએ કારણકે દીકરીઓ બે ઘરને તારે છે" કહી આઝાદીના પર્વ પ્રસંગે આઝાદીના અમૃત મહોત્સવની હાર્દિક શુભેચ્છા પાઠવી. આ કાર્યક્રમમાં કુ. દર્શ કિલ્લેદારે અખંડ ભારતની ગૌરવગાથા સાથે આઝાદીના અમૃત મહોત્સવનો સંદેશો આપ્યો. સંગીતવૃંદ અને