5 મી સપ્ટેમ્બર ૨૦૨૩ને શિક્ષકદિન ઉજવણી નિમિત્તે જીવનભારતી મંડળ દ્વારા જીવનભારતીના રંગભવનમાં “શિક્ષક : શાશ્વત સાધક” વિષય ઉપર શ્રી ભાગ્યેશભાઈ જહાના વક્તવ્યનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
કાર્યક્રમમાં જીવનભારતી મંડળના મંત્રીશ્રી કેતનભાઈ શેલતે વક્તાશ્રી ભાગ્યેશભાઈ જહાને શાબ્દિક આવકાર આપ્યો, મંડળના પ્રમુખશ્રી ભરતભાઈ શાહ અને ટ્રસ્ટીશ્રી ડૉ. બિપીનભાઈ દેસાઈએ પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટ આપીને વક્તાનું સન્માન કર્યું. પોતાના વક્તવ્યમાં શ્રી ભાગ્યેશભાઈ જહાએ કહ્યું કે “હસમુખો શિક્ષક વર્ગને ચેતના અર્પે છે. શિક્ષક કદી ઘરડો થતો નથી.” જીવનભારતીની પરંપરા અનુસાર વક્તાશ્રીને સ્નેહનું સંભારણું અર્પિત કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી અજીતભાઈ શાહે આભારવિધિ કરી. કાર્યક્રમના સંયોજક તરીકે શ્રી અમી તરલ નાયક અને કાર્યક્રમનું સંચાલન શ્રી સોનલ સુરતીએ કર્યું.