You are currently viewing પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનમાં રોજ ઇનામ વિતરણ

પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનમાં રોજ ઇનામ વિતરણ

જીવન ભારતી મંડળ સંચાલિત તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનમાં તા: 16-3- 2024 ના રોજ ઇનામ વિતરણ સમારંભ યોજાયો. આ કાર્યક્રમમાં બાળકો માટે વર્ષ દરમિયાન યોજાયેલ વિવિધ હરીફાઈઓ, આંતર શાળા હરિફાઈ અને મૉનટેસોરી તાલીમાર્થી બહેનોની વિવિધ હરીફાઈનો ઇનામ વિતરણ કાર્યક્રમ ભૂતપૂર્વ વિદ્યાર્થી અનેરીબેન આચાર્યના મહેમાન પદે યોજાયો. આ કાર્યક્રમમાં જીવન ભારતી મંડળના મંત્રી શ્રી મયંકભાઇએ પ્રોત્સાહક ઉદબોધન આપ્યું. આ કાર્યક્રમમાં વાલી મંડળના હોદ્દેદારશ્રીઓ વિવિધ ભવન ના આચાર્યશ્રીઓ ,નિરીક્ષકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. હરીફાઈ ના વિજેતા બાળકોને શીલ્ડ આપવામાં આવ્યા તથા દરેક બાળકોને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા .આ સમારંભ માં વિશાળ સંખ્યામાં વાલીશ્રી ઓએ હાજર રહી બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા.