
બાળકેળવણીનું પ્રથમ સોપાન …
“પ્રત્યેક બાળક મહત્વનું છે.”
આ ઉક્તિને યથાર્થ કરવા બાળકેળવણીની પ્રારંભિક અવસ્થામાં શિક્ષણ અનૌપચારિક હોવું જરૂરી છે. જ્યાં બાળકને અનુભવજન્ય પ્રવૃત્તિમય શિક્ષણક્રમ સાથે શારીરિક અને માનસિક ક્ષમતાઓનો વિકાસ માટે આત્મવિશ્વાસ લાગણીમય વાતાવરણ સ્વાસ્થ્ય અને સ્વચ્છતાસભર સંવેદનશીલતા અને નૈતિક મુલ્યોસહ અભ્યાસતર પ્રવૃત્તિઓ માટે આનંદપ્રદ અને સક્ષમ માર્ગદર્શન પૂરું પાડવા માટે પ્રયત્નશીલતા બાળકને સર્વાંગી વિકાસ તરફ દોરી જાય છે.
ભાર વિનાનું ભણતર..
ભણતરનો અભિગમ …
સર્વાંગી કેળવણીનાં મૂળમંત્રને વરેલી સંસ્થા જીવનભારતી. જેમાં તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનમાં “ભાર વિનાના ભણતર” ના અભિગમ સાથે બાળકના જીવનઘડતરમાં અમૂલ્ય ફાળો આપતી પ્રવૃત્તિમય શૈક્ષણિક વ્યવસ્થા.
પ્રવૃત્તિમય શિક્ષણનાં તત્વો …
જિજ્ઞાસા, સર્જનાત્મકતા, ટેકનોલોજી, સાહસિકતા, નૈતિકતા, નીડરતા, નેતૃત્વ.
અમારો હેતુ …
બાળભવનની શૈક્ષણિક પધ્ધતિના કેન્દ્રમાં બાળક છે અને સમગ્ર શાળાકીય આયોજન બાળકેન્દ્રીય રીતે સફળતા પૂર્વક પરિપૂર્ણ કરવાની કટીબદ્ધતા સાથે સતત કાર્યરત રહી અમો આગળ ધપી રહયા છે.
અમારી કેળવણી …
આ સાથે સંસ્કાર, શિક્ષણ, શિસ્ત અને સહકારની ભાવના, પ્રામાણિકતા અને જીવનકલા જેવા ઉમદા ગુણો બાળપણથી કેળવે તેવું વાતાવરણએ બાળભવનની આગવી વિશેષતા છે.
શાળાના શિલ્પીઓ
અમારી પ્રવૃત્તિઓ
Pre-Primary Education Training Class
ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર અને શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તેમજ સુરત જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના સહયોગથી આયોજિત પૂર્વ પ્રાથમિક શિક્ષણ તાલીમ વર્ગ (મુખ્ય કેન્દ્ર :-જીવનભારતી મંડળ, સુરત) બાળ કેળવણીને વરેલો બાળભવનનો શિક્ષક








