વાર્ષિકોત્સવ “નવરસામૃતમ”

2023-03-01T19:23:55+09:00

જીવનભારતી મંડળના ૭૮ વર્ષ પૂર્ણ થતાં પ્લેટિનમ વર્ષ ની ઊજવણી નિમિતે વર્ષ:૨૦૨૩ ના "સાહિત્યામૃતમ" અંતર્ગત ધોરણ:૬-૭-૮ જીવન ભારતી કિશોર ભવન ઉચ્ચ પ્રાથમિક વિભાગ કેસર બહેન પૂનમચંદ ગાંધી પ્રાથમિક વિદ્યાલયની "નવરસામૃતમ" થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં નવરસ ને આધારિત વિવિધ રસ દર્શાવતી કૃતિઓ માં વીરરસ, શૌર્ય રસ,કરુણ રસ, હાસ્ય રસ, શૃંગાર રસ, ગંભીર રસ, શાંત રસ વગેરે  શ્રેણી:૬-૭-૮ ના કુલ:૧૮૦ વિદ્યાર્થીઓ અને શાળાના આચાર્ય શ્રી ડો.પરેશકુમાર પરમાર ની પ્રેરણા અને સમગ્ર શૈક્ષણિક સ્ટાફ પરિવાર ના સુંદર માર્ગદર્શન અને વાલી શિક્ષક મંડળ અને વાલી શ્રી ઓના સહયોગ હેઠળ હર્ષોલ્લાસ સહિત સુચારુ રૂપે સૌના ઉત્સાહ થકી સફળ રહ્યો હતો.

વાર્ષિકોત્સવ “નવરસામૃતમ”2023-03-01T19:23:55+09:00

મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત શાળામાં યોજાયેલ સ્પર્ધા

2021-12-10T16:43:52+09:00

અમારી શાળા શ્રી આર. ડી. ઘાએલ જીવનભારતી માધ્યમિક વિદ્યાલયમાં જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહન હેતુથી તા. ૨૫-૧૧-૨૦૨૧ હતી ૦૫-૧૨-૨૦૨૧ દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવાના આવ્યું હતું. આ આયોજનના માર્ગદર્શક શાળાના આચાર્યશ્રી પિંકીબેન માળી તેમજ આ કાર્યક્રમનું આયોજન શ્રી નીતેશભાઈ જોષી અને શ્રી દામિનીબેન પટેલે કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ તેઓની દેખરેખ હેઠળ સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો.

મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત શાળામાં યોજાયેલ સ્પર્ધા2021-12-10T16:43:52+09:00

જીવનમાં સફળતા મેળવો 100%

2021-12-07T15:55:51+09:00

જીવનભારતી મંડળ અને કુમારભવનના સંયુક્ત ઉપક્રમે તારીખ: 06/12/2021ના સોમવારના રોજ રંગભવનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ જીવનમાં સફળતા કેવીરીતે મેળવી સકે તે માટેનો હતો. આ કાર્યક્રમમાં જીવનભારતી મંડળના મંત્રીશ્રી ડૉ. કેતનભાઈ શેલત સાહેબ અને જીવનભારતી કુમારભવનના પ્રતિનિધિ શ્રી મયંકભાઈ ત્રિવેદી સાહેબ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થયી. જીવનભારતી કુમારભવનની વિદ્યાર્થીઓએ સુંદર પ્રાર્થના રજૂ કરી હતી. મંત્રીશ્રી ડૉ. કેતનભાઈ શેલત સાહેબે વિદ્યાર્થીઓને સફળતા મેળવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પડ્યું હતું. શાળાના આચાર્યા શ્રીમતી પિંકીબેન માળીએ વિદ્યાર્થીઓને સફળતા મેળવવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. જીવનભારતી કુમારભવનના ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયના ભૌતિકવિજ્ઞાનના શિક્ષિકા શ્રીમતી ફેહમિદાબેન મુલ્લાએ PPTની મદદથી વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડી હતી. શ્રી મયંકભાઈ ત્રિવેદી સાહેબે વિવિધ ઉદાહરણોને ઉપયોગ કરી વિવિધ ક્ષેત્રોમાં સફળતા કેવી રીતે મેળવી શકીએ તે માટે સુંદર

જીવનમાં સફળતા મેળવો 100%2021-12-07T15:55:51+09:00

મહિલા સ્વાસ્થ્ય ક્રાંતિ અભિયાન

2021-10-25T15:59:59+09:00

તા. ૨૪/૧૦/૨૦૨૧નાં રોજ રવિવારનાં માય ફ્રીડમ ચેરિટેબલ ટ્રસ્ટ, વડોદરા દ્વારા જીવનભારતી સંકુલનાં રંગભવનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા અને ડૉ. પ્રીતીબેન ગુપ્તા હાજર રહ્યા હતા. સૂરતના માનનીય દાતાઓના અમૂલ્ય યોગદાનથી વિદ્યાર્થીઓને “અનાયત સેનેટરી પેડ્સ”નું વિતરણ કરવામાં આવ્યું હતું. જીવનભારતી કુમારભવનનાં ધો.૧૧ (વિજ્ઞાન પ્રવાહ) માંથી ૧૧ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જીવનભારતી કુમારભવનમાંથી ત્રણ શિક્ષિકાઓ શ્રીમતી ફહમીદાબેન મુલ્લા, શ્રીમતી રોશનીબેન પટેલ અને શ્રીમતી સેજલબેન પરમાર કાર્યક્રમમાં હાજર રહી વિદ્યાર્થીનીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના આચાર્યા શ્રીમતી પીન્કીબેન માળીએ “મહિલા સ્વાસ્થ્ય ક્રાંતિ અભિયાન” અંતર્ગત વિદ્યાર્થીનીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મહિલા સ્વાસ્થ્ય ક્રાંતિ અભિયાન2021-10-25T15:59:59+09:00

સ્વચ્છતા વિશે માર્ગદર્શન

2021-09-08T19:27:09+09:00

સ્વચ્છતા પખવાડા અંતર્ગત આજ રોજ બુઘવારે હાથ-પગ ની સ્વચ્છતા, શરીરની સ્વચ્છતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું, શાળામાં પાણી નિકાલની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું, પાણીથી થતા રોગો વિશે સમજુતી આપવામાં આવી. પાણીની સંભાળ વિશે માહિતી આપવામાં આવી. આ સમગ્ર કાર્યકમમાં શાળાના શિક્ષકશ્રી બાબુભાઈ, અરુણભાઈ, દામિનીબેન, નિમિષાબેન તથા બાળશિક્ષક શ્રીપલકબેને ભાગ ભજવ્યો હતો.

સ્વચ્છતા વિશે માર્ગદર્શન2021-09-08T19:27:09+09:00

ચિત્રકામ, નિબંધ લેખન, કાવ્ય લેખન, સ્લોગન લેખન સ્પર્ધા

2021-09-08T16:49:57+09:00

સ્વચ્છતા પખવાડા અંતર્ગત તા. ૦૬/૦૯/૨૦૨૧ અને તા. ૦૭/૦૯/૨૦૨૧ નાં રોજ અમારી શાળામાં ચિત્રકામ, નિબંધ લેખન, કાવ્ય લેખન, સ્લોગન લેખન જેવી વિવિધ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓનાં ફોટોગ્રાફ્સ.....

ચિત્રકામ, નિબંધ લેખન, કાવ્ય લેખન, સ્લોગન લેખન સ્પર્ધા2021-09-08T16:49:57+09:00

ગ્રીન શાળા ડ્રાઈવ દિવસ

2021-09-04T16:49:09+09:00

તારીખ -૦૪/૦૯/૨૧ થી ૦૫/૦૯/૨૧ સ્વછતા પખાવડા ની ઉજવણી અંતર્ગત “ગ્રીન શાળા ડ્રાઈવ દિવસ" સંદર્ભે શનિવાર અને રવિવારનાં રોજ પોસ્ટરો અને પેમ્પલેટ બાળકો પાસે બનાવી ચોટાડવામાં આવ્યા. જળ સંરક્ષણ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.

ગ્રીન શાળા ડ્રાઈવ દિવસ2021-09-04T16:49:09+09:00

સમુદાય જાગૃતિ દિવસ

2021-09-03T19:24:35+09:00

સ્વચ્છતા પખવાડાની ઉજવણી અંતર્ગત આજરોજ તા. ૩-૯-૨૦૨૧ ને શુક્રવારનાં દિવસે 'સમુદાય જાગૃતિ દિવસ' સંદર્ભે રસીકરણની થીમનો પ્રચાર કરવામાં આવ્યો તથા એક સેમિનારનું આયોજન કરીને વિદ્યાર્થીઓને રસીકરણનું મહત્વ સમજાવી, તેઓને તેમના પરિવાર, સગાસંબંધી અને આજુબાજુનાં પાડોશીઓને રસીકરણનું મહત્વ સમજાવવાનુંકહેવામાં આવ્યું.

સમુદાય જાગૃતિ દિવસ2021-09-03T19:24:35+09:00

સ્વચ્છતા જાગૃતિ દિવસ

2021-09-04T16:29:38+09:00

સ્વચ્છતા જાગૃતિ દિવસ તા. ૦૧ થી ૧૫, સપ્ટેમ્બર-૨૦૨૧ દરમિયાન સ્વચ્છતા પખવાડાની ઉજવણી અંતગર્ત આજ રોજ તા. ૦૨-૦૯-૨૦૨૧ના ગુરૂવારના દિવસે ‘સ્વચ્છતા જાગૃતિ દિવસ' સંદર્ભે અમારી શળામાં બાળકોને પ્રેરણાત્મક પ્રવચન અને હાથની સફાઈ કેવી રીતે કરવી તે, તેનું મહત્વ અમારી શાળાના શિક્ષિકાશ્રી દામિનીબેન પટેલ દ્વારા બાળકોને સમજાવવામાં આવ્યું. શાળાની દરેક ભૌતિક સુવિધા અતગર્ત સ્વચ્છતા સુવિધાનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને જ્યાં ચૂક જણાય ત્યાં સુધારાલક્ષી પગલાં લેવામાં આવ્યાં. શાળાની પાણીની સુવિધા, જળસંચયન પ્રણાલી, શૌચાલય, રસોડું, વર્ગખંડો, પંખા, દરવાજા વગેરે તમામ બાબતોની ચકાસણી કરતાં કોઈ ચૂક જણાય નથી. આ તમામ સર્વેક્ષણ સંદર્ભે ફોટોગ્રાફ રજુ કરેલ છે. આ સમગ્ર કામગીરીમાં શાળાના શિક્ષકશ્રી બાબુભાઈ ચૌધરી, શ્રી અરૂણભાઈ પરમાર અને શ્રી દામિનીબેન પટેલે મહત્વની કામગીરી કરી હતી.

સ્વચ્છતા જાગૃતિ દિવસ2021-09-04T16:29:38+09:00

સ્વચ્છતા પખવાડી અભિયાન

2021-09-04T15:57:35+09:00

સ્વચ્છતા પખવાડા અતંગર્ત શપથવિધિ ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬ માં “સ્વચ્છતા પખવાડા” ની ઉજવણી કરવાનું નકકી કરવામાં આવેલ છે. જે અંતગર્ત અમારી શાળા જીવનભારતી કુમારભવનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા ૦૧-૦૯-૨૦૨૧ થી તા. ૧૫-૦૯-૨૦૨૧ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સ્વચ્છતા પખવાડાની  ઉજવણી કરનાર છે.જેમાં આજે પ્રથમ દિવસે શાળામાં હાજર તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પાસે કોવિડ–૧૯ની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને સામાજિક-અંતર જાળવવું, હાથ ધોવા, માસ્કનો ઉપયોગ કરવા અંગે શપથ લેવડાવામાં આવ્યાં. આ કાર્યક્રમનું આયોજન કરનાર શિક્ષકશ્રી બાબુભાઈ ચૌધરી, શ્રી અરૂણભાઈ પરમાર અને શ્રી દામિનીબેન પટેલ હતાં.

સ્વચ્છતા પખવાડી અભિયાન2021-09-04T15:57:35+09:00
Go to Top