સ્વરછતા પખવાડિયા – ઇનામ વિતરણ

2023-09-21T19:30:04+09:00

શ્રી આર. ડી. ઘાએલ જીવનભારતી હાઈસ્કૂલમાં 1/9/2023 થી 15/9/2023 સુધી સ્વરછતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત થયેલ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થનાર વિદ્યાર્થી અને શિક્ષકો માટે ઇનામવીતરણ કાર્યક્રમ આજરોજ રંગભવનમાં રાખવામાં આવ્યો હતો. વિજેતા થનાર 49 વિદ્યાર્થીઓ અને 8 શિક્ષકોને પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જીવનભારતી મંડળના મંત્રીશ્રી ડો. કેતનભાઈ સેલત સરે વિદ્યાર્થીઓને જીવનમાં સ્વરછતાનું મહત્વ સમજાવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના આચાર્યા શ્રીમતી પિન્કીબેન માળીએ વિદ્યાર્થીઓને સ્વતછતા અંગેના શપથ લેવડાવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી અનિતાબેન પટેલએ કર્યું હતું. આ કાર્યક્રમમાં વાલીમંડળના સભ્યો હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.લોટસ બોટલ આર્ટના ફાઉન્ડર શ્રી મનીષભાઈ વ્યાસ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ચિત્ર,નિબંધ,પોસ્ટર જેવી વિવિધ સ્પર્ધા માટેનું એક પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમની સફળતા બદલ જીવનભારતી મંડળના મંત્રીશ્રી

સ્વરછતા પખવાડિયા – ઇનામ વિતરણ2023-09-21T19:30:04+09:00

National Pharmacovigilance Week 2023

2023-09-21T03:59:22+09:00

National Pharmacovigilance Week 2023-આરોગ્ય અને કુટુંબ મંત્રાલય ,ભારત સરકાર અંતર્ગત આપણી શાળાના આરોગ્ય સમિતિ દ્વારા આયોજિત "દવાઓની આડ અસરો અંગે સતર્કતા" કાર્યક્રમનુ આયોજન આજરોજ તા. 20/9/ 2023 રંગભવનમાં કરવામાં આવ્યું હતું. જેમાં મા. વિભાગમાંથી ધો.9 ના હેલ્થકેર વિષય તેમજ ઉ. મા. વિભાગના વિજ્ઞાનપ્રવાહના તમામ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. વિષયના મુખ્ય વક્તા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, સુરત.ના ફાર્મેકોલોજી વિભાગના કો-ઓર્ડીનેટર ડો.મયુરભાઈ ચૌધરી અને ડેપ્યુટી કો-ઓર્ડીનેટર ડો. નૃપલબેન પટેલ અને અન્ય પ્રાધ્યાપક ચિકિત્સકમિત્રો ડો.રાહુલભાઈ ચૌધરી અને ડો.નેહાબેન પટેલ દ્વારા ખૂબ રસપ્રદ માહિતી જેવી કે... દવાની યોગ્ય માત્રા,દવાઓની આડઅસરોના ચિન્હો તેમજ આ આડઅસરો ની જાણ કોને કોને કરી શકાય વગેરે મુદ્દાઓને સામેલ કર્યા હતા. જેથી વિદ્યાર્થીઓ જાગ્રત બની શકે. આયોજક : શ્રી રંજનાબેન શ્રી રીતેષભાઈ શ્રી રીનાબેન શ્રી નિમિષાબેન શ્રી નિધીબેન

National Pharmacovigilance Week 20232023-09-21T03:59:22+09:00

આત્મહત્યા નિવારણ અને ગુડપેરન્ટીગ વિષય પર સેમિનાર

2023-09-20T01:10:08+09:00

જીવનભારતી કુમારભવનમાં આત્મહત્યા નિવારણ અને ગુડપેરન્ટીગ વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન થયું. શ્રી આર.ડી.ઘાએલ જીવનભારતી કુમારભવન તથા શાળાના વાલી શિક્ષક મંડળ અને વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના સંયુક્ત ઉપક્રમે 10 મી સપ્ટેમ્બર ના રોજ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણીના ભાગરૂપે લોકો દ્વારા શામાટે આત્મહત્યા કરવામાં આવે છે તે અંગેના કારણો અને તેને અટકાવવા અંગે વાલીઓને સમજ આપવામાં આવી હતી. વનિતા વિશ્રામના ભૂતપૂર્વ શિક્ષિકા શ્રી નૂરજહાં મન્સૂરી દ્વારા ગુડ પેરેન્ટિંગ વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષકો સંજયભાઈ બોસમિયા, નિતેશભાઈ વળવી, રોશનીબેન પટેલ દ્વારા આચાર્યા શ્રીપિંકીબેન માળીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. Like   Comment Share

આત્મહત્યા નિવારણ અને ગુડપેરન્ટીગ વિષય પર સેમિનાર2023-09-20T01:10:08+09:00

સ્વચ્છતા પખવાડિયું – ૨૦૨૩

2023-09-20T16:06:31+09:00

તા. 1.9.2023 - સ્વચ્છતા શપથ દિવસ સ્વચ્છતા પખવાડિયું - ૨૦૨૩ અંતર્ગત તા. 1.9.2023 - સ્વચ્છતા શપથ દિવસ દરમિયાન જીવનભારતી કુમારભવન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં  સ્વચ્છતા અંગે ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓ પાસે શપથ લેવડાવ્યા અને વિદ્યાર્થીઓ દ્વારા ઈલેકટ્રોનિક બેનર બનાવડાવ્યા. તા. 4.9.2023 - સ્વચ્છતા જાગૃતિ દિવસ તા. 4.9.2023 - સ્વચ્છતા જાગૃતિ દિવસ દરમિયાન જીવનભારતી કુમારભવન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અમારી શાળામાં સ્વચ્છતા અંગે ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓને આચાર્યા શ્રીમતી પીન્કીબેન માળીએ માર્ગદર્શન આપ્યું. તા. 5.9.2023 - સ્વચ્છતા શાળા પ્રદર્શન દિવસ તા. 5.9.2023

સ્વચ્છતા પખવાડિયું – ૨૦૨૩2023-09-20T16:06:31+09:00

મારી માટી, મારો દેશ

2023-08-21T20:25:19+09:00

શહીદોને શ્રધ્ધાંજલિ અને વીરોને વંદન આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત શ્રી આર .ડી ધાએલ જીવનભારતી મા. વિદ્યાલય, નાનપુરા, સુરત ખાતે વાલી-મંડળના સભ્યો વિશેષ ઉપસ્થિતિમાં "મારી માટી, મારો દેશ" કાર્યક્રમમાં વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાના આચાર્યાશ્રી પિંકીબેન માળી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યકમમાં વિવિધ સ્પર્ધા જેવી કે ચિત્ર સ્પર્ધા, કાવ્યપઠન સ્પર્ધા, દેશભક્તિ ગીતસ્પર્ધા, રંગોળીસ્પર્ધા અને વૃક્ષારોપણ કાર્યકમ યોજાયો હતો. કાર્યક્રમના કન્વીનર શ્રી કિશોરભાઈ, દિપકભાઈ, તુલસીભાઈ, રક્ષાબેન, વૈશાલીબેન, રંજનાબેન અને ઇકોક્લબના તમામ સભ્યો સાથે રહીને કાર્યકમને સફળ બનાવ્યો હતો.

મારી માટી, મારો દેશ2023-08-21T20:25:19+09:00

યુવા ઉત્સવ 2023-24

2023-08-22T14:49:26+09:00

તારીખ ૧૩/૦૮/૨૦૨૩ને રવિવારના રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા ઝોન કક્ષા - યુવા ઉત્સવ-૨૦૨૩-૨૪ નું આયોજન ઉત્તર ગુજરાત સ્કૂલમાં કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્પર્ધામાં આપની શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેનું પરિણામ નીચે મુજબ છે : શાળાના આચાર્યાશ્રી પિંકીબેન માળી વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે.

યુવા ઉત્સવ 2023-242023-08-22T14:49:26+09:00

STUDENT INNOVATION FEST – 2023

2023-08-14T19:33:58+09:00

રાષ્ટ્રીય સંસ્થા વિજ્ઞાનભારતીની ગુજરાત પ્રાંતની સંસ્થા - વિજ્ઞાનગુર્જરી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આયોજિત વિજ્ઞાન વિષય વાર્તાલાપ કાર્યક્રમ અંતર્ગત આપણી શાળા શ્રીમતી વી. બી. એન. શાહ જીવનભારતી ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યશ્રી પિંકીબેન જે. માળી અને શિક્ષકશ્રી સંજયભાઈ ભીખાભાઈ બોસમિયાની પસંદગી થયેલ હતી. આ કાર્યક્રમ અંતર્ગત તા. ૧૦/૦૮/૨૦૨૩ના રોજ આચાર્યશ્રી પિંકીબેન જે. માળી દ્વારા વી. બી. એન. શાહ જીવનભારતી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં ધોરણ-૧૧ વિજ્ઞાનપ્રવાહના કુલ ૧૧૦ વિદ્યાર્થીઓ સમક્ષ પ્રાણીસૃષ્ટિ વિષય ઉપર પોતાનું વક્તવ્ય રજૂ કરવામાં આવ્યુ હતું. પ્રાણીસૃષ્ટિના વિવિધ લક્ષણો અને વિવિધ સમુદાયો વિશે ખૂબ સુંદર માહિતી રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત શિક્ષકશ્રી સંજયભાઈ ભીખાભાઈ બોસમિયા દ્વારા અવકાશ વિજ્ઞાનની સફરે - ચંદ્રયાન-૩ વિષય પર પોતાનું વક્તવ્ય શ્રીમતી ત. વ. જરીવાલા કુમાર વિદ્યાલયમાં ૨૭૩ વિદ્યાર્થીઓ સમક્ષ પોતાનું વક્તવ્ય રજૂ કરવામાં

STUDENT INNOVATION FEST – 20232023-08-14T19:33:58+09:00

વાર્ષિકોત્સવ “નરસિંહ થી નર્મદ સુધી”

2023-03-06T16:39:31+09:00

સર્વાંગી કેળવણીના મૂળમંત્ર ને વરેલી સંસ્થા જીવનભારતી મંડળ સંચાલિત તારામોતી જીવનભારતી  પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવન દ્વારા પ્લેટિનમ જયુબિલી મહોત્સવ "સાહિત્યમૃતમ" અંતર્ગત ગુજરાતી સાહિત્ય અને સંગીત દ્વારા માતૃભાષાના સાહિત્યિક વારસાને જાળવવા "નરસિંહ થી નર્મદ સુધી"ની ઝાંખી વિશ્વ માતૃભાષા ગૌરવ દિન નિમિત્તે પ્રસ્તુતિનો અનેરો સંયોગ સર્જાયો હતો. આ કાર્યક્રમમાં નરસૈયાની શ્રદ્ધા ,ઝવેરચંદ મેઘાણીની ખુમારી અવિનાશ વ્યાસની જીવનની ફિલસૂફી સાથે મીરાબાઈ અને ગૌરાકુભારની ભક્તિ અને સુરતના પનોતાપુત્ર નર્મદની ખુદારી બાળ પુષ્પો એસુંદર રીતે મંચ ઉપર અભિવ્યક્ત કરી હતી. વિડીયો ગેલેરી

વાર્ષિકોત્સવ “નરસિંહ થી નર્મદ સુધી”2023-03-06T16:39:31+09:00

વાર્ષિકોત્સવ “કસુંબલ મેઘાણીનો”

2023-02-21T15:31:48+09:00

ભારતીય ભાગીતળ સાહિત્ય સંસ્કૃતિને ઉજાગર રાખવા જીવનભારતી સંસ્થા સતત પ્રયત્નશીલ રહે છે. તે અંતર્ગત તા. ૧૩.૦૨.૨૦૨૩ થી તા. ૨૨.૦૨.૨૦૨૩ દરમિયાન “સાહિત્યામૃતમ” શીર્ષક હેઠળ સંસ્થાના વિવિધ ભવનોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં “રાષ્ટ્રીય શાયર” ની ઉપમા પામેલા અને ગુજરાતી ભાષાને ગૌરવાન્વિત કરવામાં જેમણે કલમને પોતાનું જીવન સમર્પિત કર્યું એવા શ્રી ઝવેરચંદ મેઘાણીની રચનાઓની નૃત્યરૂપે પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આચાર્યાશ્રી નિમિષા નાયક અને નિરીક્ષકશ્રી મૃગા વજીરના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં શાળાના ૪૦૦ જેટલા વિધ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વાર્ષિકોત્સવ “કસુંબલ મેઘાણીનો”2023-02-21T15:31:48+09:00
Go to Top