જીવનભારતી મંડળ સંચાલિત તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનમાં ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.જેમા કૃષ્ણ જન્મલીલા ની નૃત્ય નાટિકા, મટકીફોડ અને તાલીમાર્થી બહેનો દ્વારા નાગદમનની નૃત્ય નાટિકાની રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં છોકરાઓ કૃષ્ણ અને છોકરીઓ રાધા બનીને આવ્યા હતા. હાથી ઘોડા પાલખી… જય કનૈયા લાલ કી… ના નામથી વાતાવરણ ગૂંજવા માંડયું.