જીવનભારતી મંડળ સંચાલિત શ્રી આર.ડી.ધાએલ માધ્યમિક વિદ્યાલય તેમજ શ્રીમતી વી.બી.એન.શાહ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય, જીવનભારતી કુમારભવન દ્વારા ૭૪ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી તા. ૨૬-૦૧-૨૦૨૩ નાં રોજ શાળાના પટાંગણમાં કરવામાં આવી હતી. આ ધ્વજવંદન કાર્યક્રમમાં અતિથિ વિશેષ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા Donate Life ના Founder and President શ્રી નિલેશભાઈ માંડલેવાળા ના વરદહસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી આપી, રાષ્ટ્રગીત તથા ઝંડાગીતના ગાનથી ભારતમાતાના સંતાન હોવાની અનુભૂતિ સાથે ઉત્કંઠાસભર વાતાવરણમાં સ્વાતંત્ર્યની સુંગંધ પ્રસરાવી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જ પ્રતિજ્ઞા પરેડ, રાઈલ ડ્રીલ અને નારાથી પરિસર ગૂંજી ઊઠયું હતું. ત્યાર બાદ મહેમાનશ્રીનો પરિચય મંડળના મંત્રીશ્રી અજીતભાઈ શાહે આપ્યો હતો. રાજયકક્ષાના તેમજ રાષ્ટ્રકક્ષાએ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્લી વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરાયા હતા. વીંગ કમાનડર કેપ્ટન અભિનંદનને બિરદાવતું દેશભકિત ગીત પર નૃત્ય રજૂ થયેલું હતું. કાર્યક્રમને સમાપન તરફ લઈ જતાં સમાજમાં ‘અંગદાન એ મહાદાન છે’ એવો સંદેશો મહેમાનશ્રી દ્વારા પહોંચાડાયો. સામાજિક જાગૃતિની મશાલ પ્રગટાવવાના પ્રયાસરૂપ જીવનભારતી મંડળ દ્વારા આયોજિત ‘DONATE LIFE’ પ્રદર્શન નિહાળવામાં આવ્યું હતું.